Poem On Life – એ જિંદગી તારાથી કોઈ ફરિયાદ નથી.

Poem On Life

Poem On Life – એ જિંદગી તારાથી કોઈ ફરિયાદ નથી.

This poem on life resembles the real struggle which we face in our day to day life. The writer have beautifully inked down the struggles we face in our in a poetry format.

જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી ,
બસ, આ મતલબી સંબંધોને સાચવામાં ક્યારે અમે સ્વયંને સાચવાનું ભૂલી ગયા એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, હૃદય ખોલીને ખુશીઓ વહેચતા, ક્યારે અમે એ જ હૃદય ને દુઃખ મા કૈદ કરી નાખ્યું એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, સાહીલ પર રજા માણતા ક્યારે અમે વ્યસ્તતા ના દરિયા મહી ડૂબી ગયા એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, આંખ મા રહેલું ઝાકળ નુ મોતી ક્યારે સુકાઈ ને ખરી પડયું એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, મુખ પર રહેતું એ ખડખડાટ હાસ્ય ક્યારે ઝાખાં સ્મિત મા ફેરવાઈ ગયુ એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, નાનપણ મા વાવેલા ઈચ્છાઓના એ બીજ ક્યારે જવાબદારીઓ ના વહેતા પૂર થી ધોવાઈ ગયા એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, ક્ષણમાં મા પણ ના ભુલાય એ ઈશ્વર ના ધામ મા છેલ્લે ક્યારે ગયા હતા એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, મન મૂકી ને છેલ્લે ક્યારે જીવ્યા હતા એ યાદ નથી.

Poems You May Like to Read

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.